નવી દિલ્હી: ભારતના ચીફ જસ્ટિસ (CJI) સુર્યકાંતની રોહિંગ્યા સુનાવણી બાદની ટિપ્પણી પર TMC સાંસદ કલ્યાણ બેનરજીનો નિવેદન વિવાદનો વિષય બન્યું છે. બેનરજીએ જણાવ્યું કે, “પહેલા જજો ઓછું બોલતા હતા અને ચુકાદા માત્ર સંભળાવતા હતા, પરંતુ આજે વધુ બોલે છે અને TRP માટે જ वक्तવ્ય કરે છે.”
આ નિવેદન પર ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કડક પ્રતિસાદ આપ્યો છે અને કહ્યું કે, TMCએ સુપ્રીમ કોર્ટ પર અયોગ્ય આક્ષેપ કર્યો છે અને તેનો ઉદ્દેશ માત્ર રાજકીય લાભ (વોટ બેન્ક રેટિંગ) મેળવવાનો છે.
CJI સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, રોહિંગ્યા શરણાર્થીઓના મામલે કેન્દ્ર સરકારને નોટિસ જારી નહીં કરી શકાય અને ગેરકાયદેસર પ્રવેશ પર કડક વલણ અપનાવવાનું જરૂરી છે. સુનાવણીમાં પુછાયું કે, “શું ગેરકાયદેસર પ્રવેશ માટે રેડ કાર્પેટ પાથરીએ?” જેમાં કાયદાકીય અને સુરક્ષા સંબંધિત દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો હતો.
