પશ્ચિમ બંગાળની मुख्यमंत्री મમતા બેનરજીએ કૃષ્ણનગરની રેલીમાં SIR પ્રક્રિયામાં મહિલાઓના નામ કપાયા હોવાનો આક્ષેપ કર્યો અને મહિલાઓને વેલણ, ચમચા, ખાંડણી જેવા ‘રસોડાના હથિયારો’ સાથે તૈયાર રહેવાની અપીલ કરી. તેમના આ નિવેદન બાદ રાજ્યની રાજકીય હવા ગરમાઈ છે. મમતાએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવતાં કહ્યું કે ચૂંટણી દરમિયાન દિલ્હીથી પોલીસ બોલાવી મહિલાઓને ધમકાવવામાં આવી શકે છે.પશ્ચિમ બંગાળમાં SIR (Special Summary Revision) મુદ્દે રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં યોજાયેલી રેલી દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજીએ એવો વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે જો SIR દરમ્યાન મહિલાઓના નામ મતદાર યાદીમાંથી કપાય તો તેઓ વેલણ, ચીપિયો, ખાંડણી જેવા રસોડામાં વપરાતા સાધનો લઈને ‘લડાઈ માટે તૈયાર રહી જાય’. તેમના આ શબ્દો બાદ રાજ્યની રાજનીતિમાં હંગામો મચી ગયો છે. મમતાએ ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણી પહેલા મહિલાઓને ડરાવવાનો અને મતદાર યાદીમાં ગડબડ કરવાનો આરોપ પણ કર્યો.
‘વેલણ-ખાંડણી લઈને તૈયાર રહેજો’: SIR મુદ્દે મમતા બેનરજીનું નિવેદન, ભારે રાજકીય વિવાદ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
