વડોદરા શહેરના રેલવે, રિવર અને ફ્લાયઓવર બ્રીજોના સેફ્ટી ઓડિટ બાદ 38 બ્રીજોની મેન્ટેનન્સ કામગીરી માટે રૂ. 21 કરોડનો અંદાજ તૈયાર થયો છે. મુજપુર ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ સરકારના આદેશ મુજબ મુખ્ય જૂના આરાધના, કાસમઆલા, મુંજમહુડા, વડસર લેન્ડફીલ, બાલભવન રિવર ઓવરબ્રીજ અને અન્ય મહત્વના બ્રીજ પર કલમ 67(3)(સી) હેઠળ તાત્કાલિક મરામત શરૂ કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદી ઉપર પાણીના પ્રવાહ અને જળચર પ્રાણીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સ્ટ્રક્ચરલ રીસ્ટોરેશન કામગીરી શરૂ કરવામાં આવી છે.
વડોદરામાં 38 બ્રીજોના સેફ્ટી ઓડિટ બાદ તાત્કાલિક મરામત કામગીરી શરૂ, 21 કરોડ રૂપિયાનો ખર્ચ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
