સૌરાષ્ટ્રના દરેક કોણે જાણીતી ‘ખેતલાઆપા’ ચાની લારીનું નામ માત્ર નહિ, એક વિશ્વાસ છે. પરંતુ આ નામ પાછળ લૂકાયેલી છે એક અનોખી આધ્યાત્મિક ગાથા — જીવતા નાગદેવતા ખેતલિયા બાપાની. કડૂકા ગામમાં આવેલું તેમનું મંદિર, કાળી ચૌદસે ઉજવાતો તેમનો જન્મદિવસ અને નાગ સ્વરૂપે દર્શન આપતી દંતકથા આજે પણ લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.
