પ્રથમ વર્ષના NSS સ્વયંસેવકોનું કાઉન્સેલિંગ અને ડો. ભરત મોઢપટેલના છ પુસ્તકોનું વિમોચનl આદિપુર: તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના એન.એસ.એસ. વિભાગ દ્વારા એન.એસ.એસ. ગેટ-ટુ-ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રથમ વર્ષમાં એન.એસ.એસ. સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. ભરત મોઢપટેલ દ્વારા પ્રકાશિત છ પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. પુસ્તક વિમોચન કાર્યક્રમ ગાંધીધામ કોલેજિયેટ બોર્ડના હેડ એડમિન શ્રી રાજેન્દ્ર આસવાણી, કોલેજના આચાર્ય ડો. સુશીલ ધર્માણી, પ્રાધ્યાપકો તેમજ એન.એસ.એસ.ના સિનિયર અને નવા જોડાયેલા સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રી રાજેન્દ્ર આસવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડો. સુશીલ ધર્માણીએ ડો. ભરત મોઢપટેલ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચે અને તેમાં રહેલા વિષયને સમજવાનો પ્રયાસ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. જ્યારે શ્રી રાજેન્દ્ર આસવાણીએ કોલેજમાં સતત સંશોધન